આવી મિત્રતા અમુલ્ય હોય છે,તેને કાયમ જાળવી રાખજો
થોડા દિવસ પછી એ જ મિત્ર સાથે વિદ્યાસાગારજીની ફરી મુલાકાત થઈ ત્યારે મિત્રએ તેમને કહ્યું કે,તમારે તમારી પ્રતિષ્ઠાનો ખ્યાલ રાખવો જોઈએ. આવા નાના લોકો સાથે કેમ બેસો છો? વિદ્યાસાગરજીએ હસતાં-હસતાં મિત્રને કહ્યું કે, તો પછી તું કેમ મારી સાથે બેસતો નથી? મિત્રએ તેમની વાત પર ગુસ્સે થઈને કહ્યું કે, તમે તો મારા મિત્ર છો અને મિત્રતામાં કોઈ ધનવાન કે ગરીબ હોતું નથી.
ત્યારે વિદ્યાસાગરજીએ કહ્યું કે, એ વાત તો હું તને સમજાવવા માગું છું. મિત્રતામાં કોઈ નાનું-મોટું, ધનવાન-ગરીબ હોતું નથી. તેમની વાત સાંભળીને મિત્રને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેણે માફી માગી. હકીકતમાં મિત્રતાનો આધાર અમીરી નહીં પણ પ્રેમ અને વિશ્વાસ હોય છે. અમીરી-ગરીબી આપણા મગજનો વિષય છે અને મિત્રતા હૃદયનો વિષય છે.
No comments:
Post a Comment