vipul

Wednesday, 16 November 2011

 
સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો, દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો
હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો, મહિમા કહે ના જાયે લાગત હું પદ કો…
જય દેવ જય દેવ… જય દેવ જય દેવ… જય દેવ જય દેવ
જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા, ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા..
જય દેવ જય દેવ… જય દેવ જય દેવ
ભાવભગત સે કોઈ શરણાગત આવે, સંતતિ સંપતિ સબહી ભરપુર પાવે,
ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે, ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે…
જય દેવ જય દેવ… જય દેવ જય દેવ…
જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા, ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા..
જય દેવ જય દેવ… જય દેવ જય દેવ
ઘાલીન લુટાંગન વાંદીન ચરન ડોલ્યાન્ની પાહીન રુપ તુજ્હે
પ્રેમે આંલગીન આનંદેન પુજીન ભાવેં ઉવાલીન મ્હાને નમઃ
ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિધ્યા દ્રવીન્મ ત્વમેવ ત્વમેવ સર્વં મમં દેવ દેવં
કાયેન વાચ મનદેન્દ્રીયૈર્વા બુધ્ધ્યાત્માન વા પ્રકૃતિસ્વભાવા
કરોમી યાદ્યત શકલમ પરસ્મી નારાયણાયેતી સમર્પયામી
અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરી
શ્રીધરં માધવમ ગોપીકા વલ્લભમ જાનકીનાયકં રામચન્દ્રં ભજે
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે…
હરે ક્રીષ્ના હરે ક્રીષ્ના, ક્રીષ્ના ક્રીષ્ના હરે હરે…


સમરુ સાંજ સવેરા, એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી
માતા રે કહીયે જેની પાર્વતિ, એ સ્વામી, પિતારે શંકર દેવા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી…
ગીરે સિંદુરની તમને સેવા ચઢે રે સ્વામી, હે ગળે ફુલડાંની માળા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી
મયુર મુંગટ, સીરે છત્ર બિરાજે સ્વામી, કાનોમાં કુંડલ માળા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી
અઢારે વરણના તમે વિઘ્ન હરો છો સ્વામી, ધરમની બાંધેલ ધર્મશાળા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી
કહે રવિરામ સંતો ભાણના પ્રતાપે સ્વામી, ખોલેલ બ્રહ્મના રે તાળા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી
સમરુ સાંજ સવેરા, એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી…
સ્વરઃ મન્ના ડે
રચનાઃ રવિરામ
આલ્બમઃ ચલો રે હંસા

ગુણ તો ગોવિંદના ગવાણા,
નાથ તમે તુલસીના પાંદડે તોરાણા.
હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણા,
નાથ તમે તુલસીના પાંદડે તોરાણા.
બોડાણે બહુ નામીને સેવ્યા, બોલણીયે બંધાણા,
કૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શાણા.
હે જી નાથ તમે તુલસીના પાંદડે તોરાણા
હેમ બરાબર મુલ કરીને વાલ સવામાં તોરાણા,
બ્રહામણને જ્યારે ભોંઠપણ આવ્યુ ત્યારે સખીઓને વચને વેચાણા.
નાથ તમે તુલસીના પાંદડે તોરાણા.
મધ્ય ગુજરાતમાં રચી દ્વારીકા, ભેદ પુરાણે વંચાણા,
હરીગુરુ વચને કહે વણલાખો જગત બધામાં જણાણા.
હે નાથ તમે તુલસીના પાંદડે તોરાણા.
હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણા
નાથ તમે તુલસીના પાંદડે તોરાણા
સ્વરઃ પ્રાણલાલ વ્યાસ

મારુ અતિ પ્રિય ભજન… સાંભળુ એટલે સાંભળ્યા જ કરુ…
બહુ વરસો પહેલા આકાશવાણી પર આ ભજનની રોજ રાહ જોતા અને જો કોઈ દિવસ આ ભજન વાગે તો તે દિવસ સફળ થઈ જતો…
થોડા વખત પહેલા નીરજભાઈના બ્લોગ પર આ ભજનની ફરમાઈશ કરી હતી અને તેઓએ ખુબ જ ઝડપથી પાર્થિવ ગોહેલના અવાજમાં ભજન મુક્યુ હતુ… મારે ખરેખર પ્રફુલ દવેના અવાજમાં આ ભજન જોઈતુ હતુ… આજે આપ સૌ માટે બન્ને ધુરંધરોના અવાજમાં મારુ પ્રિય ભજન મુકી રહ્યો છુ…
સ્વરઃ પાર્થિવ ગોહેલ
સ્વરઃ પ્રફુલ દવે
ફિલ્મઃ રામાયણ
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઇ …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
રજ તમારી કામણગારી મારી નાવ નાર બની જાયજી,
તો તો અમારા રંક જનની આજીવિકા ટળી જાય …
તેથી પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
સુણી વાણી ભીલ જનની જાનકી મુશ્કરાયજી,
અભણ કેવું યાદ રાખે, ઓલ્યા ભણેલા ભૂલી જાયજી …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી,
પારી ઉતારી પુછ્યુ, તમે શુ લેશો ઉતરાઇ …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
નાવની ઉતરાય ના લઈએ, આપણે ધંધા ભાઇ,
કાગ કહે કદી ખારવો ના લીયે, એજી ખારવાની ઉતરાઇ …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
- કવિ કાગ

રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.
રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.
જન્મ્યો તે’દી શુ બોલતો બંદા,
આજની બોલીમાં ઘણો ફેર છે.
કરી કમાણી તારી ચોપડે ચડશે,
લેખા લેવાને ધણી મારો તેડશે.
રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.
મોટાઈ તારી રે બંદા નથી મેલતો,
ઇ રે મોટાયુ તને વેડશે.
ધન રે દોલતમાં તારુ મનડુ લોભાણુ,
પ્રભુના ભજનમાં તને વેર છે.
રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.
ભવસાગરમાં સાચા રે મોતી,
છીપે છીપે ઘણો ફેર છે.
બાવા થયા તેથી શુ રે થયુ ભાઈ,
પ્યાલે પ્યાલે ઘણો ફેર છે.
રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.
કહેઅ રવિરામ ગુરુ ભાન પ્રતાપે,
દિધા વિના ક્યાંથી પામશો.
દેજો ને લેજો, કરજો ભલાયુ,
અહીયામ તો પ્રભુ ની ઘણી મહેર છે.
રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.
રચનાઃ રવિરામ
સ્વરઃ મન્ના ડૅ
આલ્બમઃ ચલો રે હંસા


આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દ્વારકાધીશના અંશકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ નકલંક છે નેજાધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દિવ્ય વિભુતી અમત્કારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ આવ્યા પોકરણગઢ નગરી… રામદેવપીર જય રામદેવપીર…
આ પ્રગટ્યા કંકુ પગલા કરી… રામદેવપીર જય રામદેવપીર…
આ પારણિયે પોઢ્યા હરી… રામદેવપીર જય રામદેવપીર…
આ પ્રભુ પધારિયા કૃપા કરી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ કનક આભુષણધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ મખમલના જામધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ શસ્ત્ર ખડગ ભાલાધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ શત્રુ કાજ પ્રલયકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ અજુકત અતુલ બળધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દેવશ્રી અસિમદયા ધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ સૃષ્ટિ તણા કલ્યાણકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ પરદુઃખે પરોપકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ દૃષ્ટોના દમનકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દિન તણા રક્ષણકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ ભક્તોના તારનહારી… રામદેવપીર જય રામદેવપીર…
આ જનજનના પાલનકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો


 
રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર દંગાજી
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
ઉગ્યો રવિને કિરણાયું કિધી ત્યારે વાણિયે વાણ હંકારીયા જી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
એબ ગેબના વાગે નગારા મારેકાને મંજીરા સુનાયાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
સોનાની પાવડીને રુપાની બાવડી રૂમઝુમ કરતા આવ્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
વાણિયાની જહાજ બેડી બુડવાને લાગી ત્યારે હિંદવાપીરને સમર્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
હરી ચરણે ભાટી હરજી બોલ્યા તારા બાનાની પત રાખોજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રા


એ હરજી હાલો દેવળે, ને પુજવા રામાપીર
એ કોઢીયાના કોઢ મટાડ્યા, બાબો સાજા કરે શરીર
હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
હેલો મારો સાંભળો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
એ વાણીયોને વાણીયણ ભલી રાખી ટેક,
પુત્ર જુલસે પારણે તો જાત્રા કરશુ એક.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
વાણીયોને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ઉચી ઉચી ઝાંડીયુને વસમી છે વાટ,
બે હતા વાણીયાને ત્રીજો થયો સાથ,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ઉંચા ઉંચા ડુંગરાને વચમાં છે ઝોર,
મારી નાખ્યો વાંણીયોને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ઉભી ઉભી અબળા કરે રે પોકાર
સોગઠે રમતા પીરને કાને ગયો સાદ.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
લીલુડો છે ઘોડલોને હાથમાં છે તીર,
વાણીયાને વહારે થયા રામદેવ પીર.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ઉઠ ઉઠ અબળા ધડ-માથુ જોડ,
ત્રણે ભુવનમાંથી શોધી લાવુ ચોર,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દહાડા ખઈશ,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
આંખે કરુ આંધળોને ડીલે કાઢું કોઢ,
દુનિયા જાણે પીર રામદેવનો ચોર,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
ગાઈ દલુ વાણીયો ભલી રાખી ટેક,
આજ રણુંજામાં લીધો વાણીયા એ ભેખ,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
સ્વરઃ પ્રફુલ દવે






image11
શ્રી રામદેવપીર મહારાજની સમાધી
વિક્રમ સંવત ૧૫૧૫ ભાદ્રપદ સુદી ૧૧ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધીમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાનરૂપે અંતિમ બોધ આપ્યો. તે ચોવીસ ફરમાનો નીચે પ્રમાણે છેઃ
કહે રામદેવ સુણો ગતગંગા,
(૧)
પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન;
જીવમાત્ર પર દયા રાખવી ભુખ્યાને દેવું અન્નદાન.
(૨)
ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર;
જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર.
(૩)
વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહિ ગતના ગોઠીને;
આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને.
(૪)
ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર;
ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તી તણી લાર.
(૫)
તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ;
તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહિ લવલેશ.
(૬)
સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર;
જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ.
(૭)
વચન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વૃતધારી;
તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી.
(૮)
માત મિતા ગુરુ સેવા કરવી કરવો અતિથી સત્કાર;
સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર.
(૯)
પ્રથમ પરોઢીયે વ્હેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ;
એકમના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ.
(૧૦)
એક આસને અજપા જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ;
દશેય ઈન્દ્રીયોનુ જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ.
(૧૧)
દિલની ભ્રાંતી દૂર કરવી ત્યજવા મોહ માન અભિમાન;
મૃત્યુ સિવાય સર્વે મીથ્યા માનવું સમજવું સાચુ જ્ઞાન.
(૧૨)
સંપતિ પ્રમાણે સોડ તાણવી કિર્તિની રાખવી નહિં ભુખ;
મોટપનો જો અહં ત્યજશો તો મટી જાશે ભવ દુઃખ.
(૧૩)
સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વદતાં કરવો શુધ્ધ વિચાર;
સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણીનો લઈ આધાર.
(૧૪)
દીનજનોના સદા હિતકારી પરદુઃખે અંતર જેનું દુઃખાય;
નિશ્વય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય.
(૧૫)
નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ;
એક ચિતે ભકિત કરે તેને જાણવા હરિના દાસ.
(૧૬)
જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય;
ઉંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય.
(૧૭)
ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભકિતમાં વિશ્વાસ;
અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ.
(૧૮)
કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર;
પરવૃતિમાં ચાલે કોઈ વિરલાં કોઈ વિવેકી નર ને નાર.
(૧૯)
ભકિતને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી;
તે જન નહિ સેવક અમારા નહિ પાટપૂજાના તે અધિકારી.
(૨૦)
ભકિતભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ;
નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ.
(૨૧)
સભામહિ સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ;
મુજ પદ નો તે છે જીવ અધિકારી પામી પદ નિરવાણ.
(૨૨)
નવને વંદન, નવને બંધન, વળી જે હોય નવઅંકા;
નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા.
(૨૩)
દાન દીએ છતાં રહે અજાચી વળી પારકી કરે નહિ આસ;
આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ.
(૨૪)
હું છું સૌનો અંતરયામી નિજ ભક્તનો રક્ષણહાર;
ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર.
રામદાસ કહે સુણો સંતજન,
લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ;
સમાધી ટાણે બોધ રૂપે આપી આજ્ઞા ચોવીસ ફરમાન.


Ramapir02
બાબા શ્રી રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.
ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને ‘રામશાહપીર’નુ નવુ નામ આપ્યુ. ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.
બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.
તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૪૫૯માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું.
બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે.




om1
મહા ધર્મ વિશેના સંત બાપુના લેખનો ગુજરાતી અનુવાદ…

વારંવાર રામાપીરના ભક્તો મને પુછે છે અને વિનંતી કરે છે કે હું તેમને મહા ધર્મ કે મોટા પંથની વાત કરુ અને રામદેવપીર સાથેનો તેનો સંબંધ સ્પષ્ટતા પુર્વક તેમને સમજાવુ. શ્રી રામદેવપીર બાબાની અસીમ કૃપાથી અને મારા સદગુરુ અને મારા પિતા પરમ પુજ્ય શ્રી રામદાસ બાપુના આશિર્વાદના પ્રતાપે મને બર્મીંગહામ લંડન ખાતે આ વિષય પર શ્રધાળુઓને સંબોધવાનો અવસર મળ્યો હતો. મે તેમને ખુબજ સરળ ભાષામાં મહા ધર્મ શું છે તે વિશે તે બધાને જણાવ્યુ.
મહા ધર્મને સમજવા માટે પહેલા તો દરેક ભાવિકે હિન્દુ ધર્મ શું છે તે સમજવાની અને સ્પષ્ટ કરવાની જરુર છે. હિન્દુ ધર્મ તે આ સંસારનો સૌથી જુનો પંથ છે. હિન્દુ ધર્મના અન્ય ફાટાંઓ જેવા કે બુધ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ તે બધા હિન્દુ ધર્મમાંથીજ અસ્તિત્વમાં આવેલા છે. હિન્દુ ધર્મ આનાથી પણ વધારે આગળ જઈને કેટલાય અન્ય નાના નાના પંથમાં વહેચાયેલો છે જેમકે શિવ ધર્મ, શકિત ધર્મ, વિષ્ણુ ધર્મ, સ્વામીનારાયણ ધર્મ અને બીજો એક ધર્મ કે જે કેટલાય વખતથી અસ્તિત્વમાં આવેલો છે કે જેને શ્રી કૃષ્ણ જાગૃતિ ધર્મ તરીકે (ઇસ્કોન) ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મ ખુબ જ જુનો ધર્મ પથ છે અને તેથી જ તે સનાતન છે. મહા ધર્મના ભાવિકો અને ભક્તોનો દૃઢ વિશ્વાસ છે કે મહા ધર્મનુ મુળ પણ હિન્દુ ધર્મના વિશાળ વૃક્ષમાંથીજ ઉદભવેલુ છે.
હિન્દુ ધર્મ શું છે?
આ વિષય પોતે જ પોતાનામાં આ બ્રહ્માંડ કરતા પણ વિશાળ છે અને તેને કોઈ આધ્યાત્મીક સીમાઓ નથી. આ વસ્તુ વિષય કોઈ હિન્દુ ધર્મમાં ન માનનારને કઈ રીતે સમજાવી શકાય? ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૌને અનેક ગુઢ જ્ઞાન ભગવદ ગીતાના માધ્યમથી આપીને ગયા છે. આપણા અન્ય મહાત્માઓ, સાધુઓ, સંતો, ધર્મ ગુરુઓ, અન્ય ધાર્મિક સાહિત્ય પણ આપણને વિચારવા માટેનુ પુરતુ જ્ઞાન અને સાહિત્ય ભંડોળ આપીને ગયા છે.
મારા માટે, અજન્મા, શિવ-તત્વ, તેમની પોતાની ઇચ્છાશક્તિના બળે જ જીવનનાં ત્રણ મુખ્ય પાસાઓનો સંચાર કર્યો છે – રચના, પાલન (પોષણ) અને વિનાશ. આપણે આ ત્રણ શકિતસભર વિચારધારાઓને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવ) તરીકે ઓળખીયે છીએ. આ ત્રણ શકિત સ્વરુપ ઉપરના ત્રણ પાસાઓનુ અલગ અલગ પોતાની મરજી મુજબ સંચાલન કરે છે. ભગવાન બ્રહ્મા સર્જન કરનાર છે, ભગવાન વિષ્ણુ પાલન-પોષણ-રક્ષણ કરે છે અને ભગવાન મહેશ (શિવ) વિસર્જન (વિનાશ) કરીને ત્રણે પાસાઓને સમતોલ જાળવી રાખે છે. આ ગોઠવણીથી વધારે અને તેની બહાર કઈ પણ નથી. સમગ્ર સૃષ્ટિનો કાર્યભાર આ પ્રણાલી પ્રમાણે જ ચાલ્યા કરે છે.
image20
તો આ મારા મત મુજબ હિંદુ ધર્મનો સાર છે. તમે જે કઈ સાંભળો છો, જુઓ છો, અડો છો, અનુભવો છો અને માણો છો તે બધુ ભગવાન બ્રહ્માનુ સર્જન કરેલુ, ભગવાન વિષ્ણુ દ્વારા પાલન પોષણ કરાયેલુ અને ભગવાન શિવ દ્વારા વિસર્જન થવા માટેનુ જ છે.
આના પછીનુ પગથિયુ એ છે કે આપણે મહાધર્મ વિશે જાણીયે. મહા ધર્મને આપણે પ્રભુની જીવંત અને નિર્જીવ રચનાની સાચવણ અને માવજત કરવાની આપણી એક નૈતિક જવાબદારી સમજી શકીયે છીએ અથવા તો તેને તે રીતે વ્યાખ્યાયીત કરી શકીયે છીએ. આથી આગળ વધીને મહાધર્મ પ્રત્યેક માનવીની અન્ય માનવી તરફની ફરજ પણ ગણી શકીયે છીએ, કેમકે આપણે બધા ઈશ્વરની આ સૃષ્ટિની સૌથી શ્રેષ્ઠ કૃતિઓ છીએ.
મહાધર્મને અનેક રીતે સમજાવી શકાય છે પણ પાયાની અને મૂળભુત વાત એક જ છે, ભલે તમે તે બધાને અલગ અલગ નામે ઓળખો કે અલગ અલગ રીતે તેને વ્યાખ્યાયીત કરો કે અલગ અલગ રીતે તમે તેનુ પાલન કરો.
આપણને એવુ શીખવવામાં આવ્યુ છે કે આત્મા એ એક ખુબ જ નાનો અને સુક્ષ્મ ભાગ છે કે જે પરમાત્મામાંથી વિખુટો પડ્યો છે. આપણા શરીરની સમાપ્તિને વખતે આપણો આત્મા ફરીથી પરમાત્મામાં વિલિન થઈ જાય છે. અને તેથીજ દરેક માનવીએ મન, કર્મ, વચનથી અન્ય માનવીઓ તથા પ્રકૃતિ સાથે સંલગ્ન રહી, સારા કામ કરી, પુણ્ય કર્મોથી આ આત્માને મોક્ષ (મુક્તિ)ના માર્ગે લઈ જવાનો છે, જેથી તે ફરીથી તેની ઉત્પતિ કરનાર પરમાત્મામાં વિલિન થઈ શકે.
image21
જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં પણ, બાબા રામદેવપીરના ભક્તો પાઠ-પુજામાં ભાગ લે છે ત્યારે પાઠના મધ્યમાં સૌ કોઈ મહાજ્યોતના દર્શન કરી શકે છે. માનવીની અંદર પ્રજ્વલ્લીત જ્યોત તે પરમાત્માની પોતાની જ્યોત છે કે જે બ્રહ્માએ દરેક માનવીમાં મુકી છે. આ પણ એક મહાધર્મ છે અને મોક્ષ મેળવવાનો એક સુંદર માર્ગ છે. બાબા રામદેવપીરના પાઠ-પુજા દ્વારા અને તેમણે આપેલા ફરમાનોના પાલનમામ પણ મુક્તિ મેળવવાનો માર્ગ રહેલો છે. આ, સંક્ષિપ્તમાં, મહાધર્મ તેના સરળતમ રુપમાં અને સુપાચ્ય સ્વરુપમાં છે.
મહાધર્મને અન્ય ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેવા કે, મહા, નિજાર, નિજ, નિજ્ય, મુળ પંથ, મુળ માર્ગ, મુળ ધર્મ કે બીજ ધર્મ. આ બધા નામોનો અર્થ છે, ઈશ્વરને પામવાનો મુખ્ય માર્ગ અથવા તો મહાન માર્ગ અથવા તો મોટો માર્ગ.
નિજાર શબ્દનો અર્થ થાય છે સંયમી માનવી, કે જેણે કામવાસનાને દબાવી દીધી છે કે મારી દીધી છે અને જે વ્યક્તિ ત્યા પહોચી ગયો છે તેને નિજારી કહેવાય છે. કહેવાય છે કે જે માનવીમાં આ ગુણ હોય તે માનવી પરમ તત્વને તેની ભકિતના બળે પ્રાપ્ત કરી શકે છે.
image22
ખુબ જ પ્રાચીન કાળથી મહાધર્મ અસ્તિત્વમાં છે અને ત્યારના સમયમાં ફક્ત બ્રાહમણ અને થોડા વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર લોકો જ વિશેનુ જ્ઞાન ધરાવતા હતા અને બાકીના મોટા ભાગના લોકો આ વિષયથી અજ્ઞાન (અજાણ) હતા. આવા લોકો માટે, તેમના કલ્યાણ માટે આચાર્યો એ પાઠપુજાના માધ્યમથી તેમને મહાધર્મ પાળતા શીખવ્યુ કે જેથી તે બધા પણ મુક્તિ મેળવી શકે. પરતું શરુઆતમાં આ ધર્મનુ પાલન ખુબજ મોટા ઋષિમુનિઓજ કરી શકતા જેવાકે ગુરુ દત્તાત્રેય (નવનાથના મુખ્ય નાથ), મત્સ્યેન્દ્રનાથ, જલંધરનાથ, ગુરુ ગોરખનાથ, મુનિ વસિષ્ઠ, ઋષિ વિશ્વનાથ, અગત્સ્ય મુનિ, માર્કંડ, પરાસર, રામાનુજ અને તેમના જેવા અન્ય. ઘણા રાજપુત જેવાકે રાજા પ્રહલાદ, હરિશ્વન્દ્ર, યુધિષ્ઠીર, અને બાલી અને અન્ય લોકોએ નિજ્ય ધર્મનુ પાલન કર્યુ હતુ.
જુનવાણી ભજન અને ભકિત ગીતો એવુ જણાવે છે કે દરેક યુગમાં આ નિજ્ય ધર્મનુ પાલન થતુ હતુ અને અનેક માનવીઓ આ પંથને અનુસરીને નિર્વાણ પામ્યા છે. અત્યારના યુગમાં આ ધર્મનુ પાલન ભકિત માર્ગે થઈ શકે છે કે જે પોતાનામાંજ એક યોગ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં જણાવ્યુ છે. મહાધર્મમાં પણ ગીતામાં ઉલ્લેખાયેલા બધાજ યોગનો સમાવેશ થાય છે, જેવાકે વિષાદ યોગ, સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, મોક્ષ અને સંન્યાસ યોગ.
ઇતિહાસ કહે છે કે મહાધર્મના આ પંથ પર ૬૦૦ વર્ષ પહેલા, ભગવાન શ્રી કૃષ્ણ પોતેજ રાજસ્થાનના પોકરણમાં બાબા રામદેવજી મહારાજ તરીકે પ્રગટ થયા હતા. એ સમયે, મોઘલ સામ્રાજ્યના કારણે, હિંદુઓ ખુલ્લી રીતે હિંદુ ધર્મનુ પાલન કરી શક્તા નહતા. અને એટલે જ એ સમયે મહાધર્મ બંધ બારણે છુપી રીતે પાળવામાં આવતો હતો છતાં પણ સમાજમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા વર્ણભેદ તો હતા જ. શ્રી રામદેવ બાબા મહાધર્મના પાઠ-પુજાના છત્ર નીચે સમાજમાં જાગૃતિ, ઐક્ય, સર્વ-મનુષ્ય-સમભાવ અને એકતા લાવ્યા હતા. તેઓએ ઘણાજ દૈત્ય તત્વોનો વિનાશ પણ કર્યો હતો.
તેમના સમયમાં અનેક માનવીઓ નિર્વાણને પામ્યા હતા. જેમાના થોડા નામોમાં હરજી ભાટી, હરભુજી, ડાલીબાઈ, રાવત રણસીંઘ, જેસલ અને તોરલ, રુપાદે અને માલદેવજી, લખમો માળી, ખીમલીયો કોટવાલ, બાબા સેલાનસીંઘ, દેવાયત પંડીત, સતી દેવલદે, દેવતણખી લુહાર, કચ્છના દાદા મેકરણ કાપડી, પરબના સંત દેવીદાસ, પાંચાલના ભક્ત મંડલ, આપા મેપા, આપા જાદરા, આપા રતા, આપા, ગીગા, લક્ષમણ ભગત, શ્રી શામજી ભગત અને બીજા અનેક સામેલ છે.
ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાધર્મના મુળભુત પાયાના સિધ્ધાંતોને પોતાના ૨૪ ફરમાનમાં વણી લીધા છે. તેઓ પોતાના સમાધી લેવાના સમયે પોતાના ભક્તો માટે ૨૪ ફરમાનો આપીને ગયા છે. છેલ્લા ૬૦૦ વર્ષમાં મહાધર્મનો ફેલાવો વધુને વધુ થઈ રહ્યો છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત બંગાળ અને હમણા હમણાં ગોવામાં જોરશોરથી મહાધર્મના ભક્તો વધી રહ્યા છે. છેલ્લા ૮૦ વર્ષમાં ભારતની સીમાઓની બહાર પણ મહાધર્મ પહોચી રહ્યો છે જેમકે સાઉથ આફ્રીકા અને ૬૦ના દાયકામાં યુનાઈટેડ કીંગડમમામ પણ ગુજરાતી લોકોની સાથે સાથે મહાધર્મનો પણ ફેલાવો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં મહાધર્મ યુ.એસ.એ, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં પણ ફેલાઈ રહ્યો છે.
તેઓ કે જે રામદેવપીરજીના ભક્તો છે અને મહાધર્મનુ પાલન કરે છે, તેઓ, મારા માનવા મુજબ સચ્ચાઈના સાચા માર્ગ પર પ્રભુને પામવાની અને નિર્વાણને મેળવવાના પોતાના આગવા માર્ગ પર ગતી કરી રહ્યા છે.




No comments:

Post a Comment