vipul

Sunday, 13 November 2011

બરડા ડુંગર વન્યજીવન અભયારણ્ય

બરડા ડુંગર વન્યજીવન અભયારણ્ય
અરબી સમુદ્રની સામે આવેલું બરડા ડુંગર વન્યજીવન અભયારણ્ય પોરબંદરથી આશરે 15 કિ.મી. દૂર સ્થિત છે. બરડા એ રાણાવાવ (પોરબંદર) અને જામનગરના માજી-રજવાડાનું ખાનગી જંગલ હતું, અને તેથી તે હજી પણ રાણા બરડા અને જામ બરડાના લોકપ્રિય નામે ઓળખાય છે. આ સમગ્ર વિસ્તાર સંરક્ષિત વન છે અને વર્ષ 1979માં તેને અભયારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ વિસ્તારમાંની વસાહતો અંગે સમજૂતીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ અંતિમ જાહેરાત કરવી હજી બાકી છે. આ અભયારણ્ય બે જિલ્લાઓમાં, પોરબંદર અને જામનગરમાં વહેંચાયેલું છે. અહીંની ડુંગરાળ ભૂમિ અને ક્યાંક ક્યાંક આવતા સપાટ મેદાનોમાંથી અસંખ્ય વહેળા, ઝરણાં તથા મોજૂદ ડેમ જંગલને અદ્ભુત બનાવે છે. પ્રાચીન સમયમાં જ્યાં સંતોએ 'મોક્ષ', અંતિમ મુક્તિ પ્રાપ્ત કરી હશે તે ભૂમિ આ જ હશે એવું લાગ્યા વિના ભાગ્યે જ રહે. ખેતરો, પડતર જમીનો અને જંગલની વચ્ચે આવેલું આ અભયારણ્ય હરિયાળો રણદ્વીપ છે.
અભયારણ્ય માત્ર 192.31 ચો.કિ.મી.નો વિસ્તાર ધરાવે છે, છતાં તે સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ ફૂલ-વનસ્પતિઓ ધરાવતું હોવાથી અનેક બીમારીઓની દવાઓ માટેનો સંભવિત સ્રોત છે, અને તેથી જ તે વધુ જાળવવાને લાયક છે. બરડાનો ભૂમિપ્રદેશ લગભગ ડુંગરાળ છે અને દરિયાઈ સપાટીથી 79.2 મીટરથી લઈને 617.8 મીટરની ઊંચાઈ ધરાવતી ઊંચી-નીચી ટેકરીઓ ધરાવે છે. અમુક સ્થળોએ, ખુલ્લા ખડકો સાથેનો સરળ ઢોળાવ છે. અહીંની બે મોસમી નદીઓ છે બિલેશ્વરી અને જોગ્હરી. ખંબાલા અને ફોદારા એ અભયારણ્યમાં આવેલા બે મહત્ત્વના બંધ(ડૅમ) છે.
આ વિસ્તારમાં 68 જેટલી નેસમાં માલધારીઓના આશરે 750 પરિવારો (4000 લોકો) રહે છે. ઉનાળાના મહિનાઓમાં જંગલ વિસ્તારની આજુબાજુ આવેલા ખેતરો અને પડતર જમીન વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત ઊભી થાય છે. જો કે, જંગલનો હરિયાળો ભાગ, ભૂતળના જળને રિચાર્જ કરીને અને અભયારણ્યમાંના નાના બંધ માટે કૅચમેન્ટ વિસ્તારની રચના કરતો હોવાથી સમગ્ર વિસ્તારમાં પાણીનું સ્તર સુધરે છે, અને આમ તેનાથી આખા વિસ્તારને ઇકોલૉજિકલ સુરક્ષા અને પર્યાવરણ સંબંધી સ્થિરતા મળે છે. અરબી સમુદ્રથી માત્ર 15 કિ.મી. જેટલા અંતરે આવેલું આ જંગલ, આ પ્રદેશમાં ખારાશને આગળ વધતી અટકાવવા જાણે ચોકિયાતનું કામ આપે છે. આ વન અત્યંત વૈવિધ્યપૂર્ણ ફૂલ-વનસ્પતિઓ ધરાવે છે અને હજી નજીકના ભૂતકાળ સુધી તે એશિયાઈ સિંહોનું રહેઠાણ હતું. જંગલની બરાબર મધ્યમાં, જામનગરના 'જામસાહેબે' વિકસાવેલું ખૂબ સુંદર એવું કિલેશ્વર, મંદિર અને શિબિરસ્થળ આવેલું છે. અહીંના સસ્તન પ્રાણીઓમાં રૅટલ, ચિત્તો અને વરૂનું અસ્તિત્વ જોખમમાં ગણાય છે. જ્યારે અહીં મળતા સરિસૃપોમાં, મગર અને કાંચીડો દુર્લભ જાતિઓ ગણવામાં આવે છે. ચાર સામાન્ય ઝેરી સાપોમાંથી, ત્રણ અહીં જોવા મળે છે. ખેચર જાતિઓમાં પણ અહીં ખૂબ વિવિધતા જોવા મળે છે. અભયારણ્યમાં જોવા મળતાં પક્ષીઓની કમસે કમ બે જાતિઓ દુર્લભ/જોખમમાં છેઃ ટપકાંવાળા ગરુડ અને કલગીવાળા બાજ-ગુરુડ.
આ ઉપરાંત, અભયારણ્યમાં અપૃષ્ઠવંશી જાતિઓની પણ ભરપૂર વિવિધતા વસે છે, જેમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પતંગિયાઓનો સમાવેશ થાય છે. નજીકના ભૂતકાળમાં અહીં વસતાં સિંહ, ચિંકારા, સાબર અને ટપકાંવાળા હરણને બરડામાંથી ખસેડવામાં આવ્યાં છે. અભયારણ્યનો વિસ્તાર નાનો હોવા છતાં, અહીં વિવિધ પ્રકારનાં જંગલો છે.
સંપર્ક કરો વનસંરક્ષક કાર્યાલય, પોરબંદર, ટેલિફોનઃ 02862242551.





અહીં કેવી રીતે પહોંચી શકાય
 

જામનગર રાજકોટથી ૯૨ કિ.મી દૂર છે.
 
સડક માર્ગેઃ રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી લક્ઝરી બસો દ્વારા જામનગર ગુજરાતનાં વિવિધ કેન્દ્રો સાથે જોડાયેલું છે. જો આપ રાજકોટથી બસ દ્વારા આવે છો, તો તે બસ સ્ટેશન પહોંચતાં પહેલાં શહેરમાંથી પસાર થાય છે, તો આપ બેડી ગેટ ઉતારવાનું કહી શકો.
 
રેલ માર્ગેઃ પશ્ચિમ રેલવે પર સીધી અમદાવાદને જોડતી દૈનિક ટ્રેનો છે.
 
હવાઈ માર્ગેઃ શહેરથી 10 કિલોમીટરના અંતરે વિમાનમથક આવેલું છે, જેથી ત્યાંથી રિક્ષા અથવા ટેક્સી દ્વારા શહેરમાં આવવું અપેક્ષાકૃત બિનખર્ચાળ છે. દેશમાં આવાગમન કરતી વિવિધ વિમાની કંપનીઓ જામનગરને મુંબઈ સાથે જોડે છે.


Vautha Fair

સહેજ નજર
જુદા જુદા રંગોથી રંગેલા હજારો ગધેડાઓ તેમજ સેંકડો ઊંટો સહિતનાં પ્રાણીઓને ગુજરાતના આ અનોખ પશુ મેળામાં લાવવામાં આવે છે, જયાં તેમનું ખરીદ-વેચાણ કરવામાં આવે છે. આ સંગમ તીર્થના મેદાનમાં મોટો મેળો ભરાય છે. લોકો મોટા ભાગે ટ્રેકટર, બસ, છકડા, ઊંટગાડી, જીપ કે બીજા વાહવવ્યવહારનાં સાધનો થકી અહીં આવે છે. અલ્હાબાદ જેવો જ નદીઓનો પવિત્ર સંગમ અહીં આવેલો છે. ઘણા સમુદાયો તો આ મેળાને દિવાળીના તહેવાર કરતાં પણ મહત્ત્વપૂર્ણ પ્રસંગ ગણે છે. અહીં સાત નદીઓનો સંગમ થાય છે. વાત્રક નદી મેશ્વો, હાથમતી, શેઢી, માઝુમ અને ખારી સાથે મળે છે, આગળ તે સાબરમતી નદીને પણ મળે છે. આમ સાત નદીના સંગમને સ્થાનિક વિસ્તારમાં સપ્તસંગમ તરીકે ઓળખવામાં આવે છે.

છેલ્લાં કેટલાંય વર્ષોથી એવો ધારો પડી ગયો છે કે નદીના કાંઠે તંબુઓ બાંધવામાં આવે છે, જેમાં લોકો રાત ગાળે છે. આશરે ૨૦૦૦ તંબુઓમાં ૨૫૦૦૦ લોકો રહે છે. આ તંબુઓ ત્રણ ચોરસ માઈલમાં પથરાયેલાં હોય છે. નજીકનાં ગામડાંઓનાં સેંકડો પરિવારો પોતાના ઘરે તાળાં મારીને પાંચ દિવસ માટે મેળો માણે છે. રોજ રોજ તેઓ અલગ અલગ મીઠાઇ રાંધે છે, છેલ્લા દિવસે મોટા ભાગે લાડું બનાવવામાં આવે છે. જોકે, સમગ્ર ઉત્સવમાં ખીચુ અને કચરિયું સૌથી લોકપ્રિય ભોજન છે.

આ એક વેપારી મેળો હોવાથી અહીં ભારે હલચલ જોવા મળતી હોય છે. હસ્તકલાથી માંડીને ખાણીપીણીના સ્ટોલ જોવા મળતા હોય છે, ફેરિયાઓ અને વેપારીઓ પરચુરણ વસ્તુથી માંડીને યંત્રો સુધીની ચીજવસ્તુઓ વેચતા હોય છે. સાંજે શ્રદ્ધાળુઓ દ્વારા નદીમાં નાના નાના દીવાઓ તરતા મૂકવામાં આવે છે. ટમટમતા દીવાઓનું નૃત્ય સમગ્ર વાતાવરણને આસ્થાભર્યું અને સુંદર બનાવી દે છે.
 
   

 

ક્યારે
હિન્દુ પંચાંગ પ્રમાણે કાર્તિક પૂર્ણિમાને દિવસે, જયારે કારતક માસમાં ચંદ્ર પૂર્ણકળાએ ખીલે છે એ પૂનમના રોજ ભરાય છે. મોટા ભાગે તે નવેમ્બર મહિનામાં ભરાતો હોય છે. આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે.

કયા સ્થળે
વૌંઠાનો મેળોનો મેળો દર વર્ષે વૌંઠા ગામે, જયાં સાબરમતી અને વાત્રક નદીનો સંગમ થાય છે ત્યાં યોજાય છે. અહીંથી માત્ર ૨૬ કિલોમીટર દૂર આવેલું ધોળકા ગામ મહાભારતના સમયમાં વિરાટનગર તરીકે જાણીતું હોવાની માન્યતા છે, જયાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન એક વર્ષ રોકાયા હોવાનો ઉલ્લેખ છે.

કોણ આવે છે
વૌંઠા માંડ બે હજારની વસ્તી ધરાવતું નાનું ગામ છે. જોકે, મેળાના પાંચ દિવસોમાં આ ગામમાં પાંચ લાખ કરતાં વધારે લોકો એકઠા થાય છે. આ મેળો ખાસ કરીને જાઠ વણઝારા તેમજ વિચરતી જાતિના સમુદાયોને વધારે આકર્ષે છે. અમદાવાદ જિલ્લાના ભાલ અને નળકાંઠાનાં ખેતી પર આધારિત ગામડાંઓના લોકો તેમજ ખેડા જિલ્લાના ચરોતર વિસ્તારના લોકો પણ અહીં મોટી સંખ્યામાં આવે છે. આ તહેવાર અને મેળો આમ તો હિન્દુઓનો જ હોવા છતાં હવે તો મુસ્લિમ લોકો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે, એ દૃશ્ય ખરેખર જોવાલાયક હોય છે.

 
 
રસપ્રદ હકીકતો
કાર્તિક પૂર્ણિમાની રાતે કરવામાં આવતું પવિત્ર સ્નાન આ મેળાનો સૌથી મહત્ત્વપૂર્ણ પ્રસંગ ગણાય છે. આ દિવસે પવિત્ર સ્નાન કરવાથી બધા પાપો ધોવાઇ જતા હોવાનું માનવામાં આવે છે.

 
 
ઈતિહાસ
ભગવાન શિવનો મોટો પુત્ર કાર્તિકેય પૃથ્વીનું પરિભ્રમણ કરતાં કરતાં કાર્તિક માસની પૂનમના દિવસે અહીં આવ્યા હોય છે અને નદીઓના આ સંગમ પર તેમણે પૂજાવિધિ કરી હોવાની દંતકથા સાંભળવા મળે છે. તેમનાં પગલાંની પૂજા આજે પણ કરવામાં આવે છે. નજીકમાં આવેલું ધોળકા મહાભારતમાં વિરાટનગર તરીકે ઉલ્લેખિત નગર હોવાનું મનાય છે, જયાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન એક વર્ષ ગાળ્યું હતું.

 
નજીકનું સ્થાન
અમદાવાદ (૫૦ કિલોમીટર), ધોળકા (૨૬ કિલોમીટર) ઉપરાંત લોથલ અને નળસરોવર પણ બાજુમાં આવેલાં છે.

 
આવતા પાંચ વર્ષનું કેલેન્ડર
૨૧થી ૨૨મી નવેમ્બર, ૨૦૧૦ (રવિવાર, સોમવાર)
૧૦થી ૧૧મી નવેમ્બર, ૨૦૧૧ (ગુરુવાર, શુક્રવાર)
૨૮થી ૨૯મી નવેમ્બર, ૨૦૧૨ (બુધવાર, ગુરુવાર)
૧૭થી ૧૮મી નવેમ્બર, ૨૦૧૩ (રવિવાર, સોમવાર)
૦૬થી ૦૭મી નવેમ્બર, ૨૦૧૪ (ગુરુવાર, શુક્રવાર)

પેજ છેલ્લે અપડેટ કરવામાં આવ્યું હતું22 Jan 2011    
 
 

No comments:

Post a Comment